પ્રત્યાંકન માટેના જરૂરી એકમો વિશે ચર્ચા કરો.
$DNA$માં પ્રત્યાંકન માટેના મુખ્યત્વે ત્રણ ભાગ હોય છે :$(i)$ પ્રમોટર (Promoter) $(ii)$ બંધારણીય જનીન (Structural gene) $(iii)$ સમાપક (Terminator).
પ્રયાંકનના બંધારણીય જનીન એકમ $DNA$ની બેવડી શૃંખલાનો જ ભાગ છે. એટલે કે $DNA$ની શૃંખલાઓ વિરુદ્ધ ધ્રુવની હોય છે માટે $DNA$ આધારિત $RNA$ પોલિમરેઝ પોલીમરાઇઝેશનને એક જ દિશા $5'$ થી $3'$ તરફ ઉત્પ્રેરિત કરે છે.
$3' \rightarrow 5'$ તરફનું ધ્રુવત્વ ધરાવતી શૃંખલા ટેબ્લેટ સ્વરૂપે કાર્ય કરે છે માટે તે ટેબ્લેટ શૃંખલા તરીકે ઓળખાય છે. બીજી શૃંખલા જેમાં $5' \rightarrow 3'$ ધૃવત્વ હોય છે તે $RNA$ જેવી જ હોય છે (તમાં થાઇમિનને બદલે યુરેસિલ હોય છે.) તે પ્રયાંકન દરમિયાન વિસ્થાપિત થઈ જાય છે. આ શૃંખલાને કોડિંગ શૃંખલા (coding strand) કહે છે.
બંધારણીય જનીન (structural gene)ના છેડા પર આવેલા પ્રમોટર અને સમાપક પ્રત્યાંકન એકમ બનાવે છે.
બંધારણીય જનીનના $5'$ છેડા પ્રતિપ્રવાહ પર પ્રમોટર આવેલ છે. અહીં $RNA$ પોલિમરેઝ જોડાય છે અને પ્રત્યાંકન એકમમાં સ્થિત પ્રમોટરની હાજરી ટેબ્લેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કરે છે. જો તેની જગ્યાએ સમાપક આવે તો સંકેતન અને ટેબ્લેટ શૃંખલાનું સ્થાન ઊલટું થઈ જાય છે.
સમાપક કોડિંગ શૃંખલાના $3'$ છેડા પર હોય છે અને તેનાથી પ્રત્યાંકન પ્રક્રિયાની સમાપ્તિનું નિર્ધારણ થાય છે. તેનાથી વધુ પ્રમોટરના પ્રતિપ્રવાહ અથવા અનુપ્રવાહ તરફ નિયામક અનુક્રમ હોય છે.
પરીપકવ $RNA$ માં શું જોવા મળતું નથી ?
કોષકેન્દ્ર રસમાંથી $RNA$ પોલીમરઝ દૂર કરવામાં આવે તો કોનાં નિર્માણની પ્રક્રિયા પર અસર થશે?
$DNA$ આધારિત $RNA$ પોલીમરેઝ કેટેલાઈઝ ટ્રાન્સક્રિપ્શન $DNA$ ની એક શૃંખલા ઉપર કરે છે તેને શું કહે છે.
બંધારણીય જનીનના $5'$ છેડા પ્રતિપ્રવાહ અને $3'$ છેડા (અનુપ્રવાહ) તરફ આવેલા ભાગ અનુક્રમે.......
સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકનની પ્રક્રિયા વર્ણવો.